Assisted living means we have people who will help our elderly members to do their daily chores while constantly assisting them.
Getting medical care for elderly people is tough if you do not have access to the right resources. We provide it for all our elderly clients.
Lorry Melon
Thank God I found Homestead on time. I was able to give my elder family member a loving home which I could not give. Thanks to the Homestead community to help him go.
Steve Smith
One of the best elder caregivers in the town. I loved their behaviour and how they treat people in general.
Elora
krista
Only students with a Percentile Rank between 70 and 90 are eligible for this scholarship.
Students above 90 must apply through the MYSY scheme.
ચાલુ શૈક્ષણિક વર્ષ ૨૦૨૫-૨૬ માટે ONLINE અરજી પત્રકો ભરવાની છેલ્લી તારીખ ૨૭મી ઓગષ્ટ છે. ભરેલા અરજી પત્રકો પ્રિન્ટ કાઢી સહી સિક્કા કરાવી પત્રક નંબર-૪ માં દર્શાવેલ સરનામે મળે તે રીતે ભરીને તારીખ ૩૧મી ઓગસ્ટ સુધીમાં બિનચુક મોકલવાના રહેશે.
1. શિષ્યવૃતી યોજના હેઠળની રકમ મેળવવા માટેનું અરજી પત્રક નં.-૧
2. શિષ્યવૃતી યોજના હેઠળની રકમનો ચેક મળ્યા બદલની એડવાન્સ પહોંચ પત્રક નં. ૨ (વિદ્યાર્થીના ફોટા સાથે જરૂરી વિગત ભરીને) પત્રક નં. ૧ સાથે મોકલવી ફરજીયાત છે.
3. આ મંડળના ટ્રસ્ટીઓ તથા ભલામણ કમીટીનાં સભ્યશ્રીઓના નામ, તથા સરનામાની વિગત પત્રક નં. ૩ (આ પત્રક અરજદારે પોતાની પાસે જ રાખવા માટે છે.)
4. શિષ્યવૃતી યોજના હેઠળની રકમ મેળવવા માટેની “જાહેર ખબર” પત્રક નંબર-૪
5. શિષ્યવૃતી યોજના હેઠળની રકમ મેળવવા માટેની અરજી મંજુર/નામંજુર કરેલ છે તેની જાણ વિદ્યાર્થીના ફોન નંબર પર મેસેજ અથવા ઈમેલ દ્વારા જાણ કરવામાં આવશે.
શિષ્યવૃતી યોજના માટેના પત્રકો મોકલવાની સૂચના:
ઉપર (એ) માં જણાવ્યા પ્રમાણેના પત્રકો પૈકી સૌ પ્રથમ નીચે જણાવ્યા મુજબના પત્રકો તથા લાગુ પડતા જરૂરી આધારોની પ્રમાણીત કરેલ નકલ. ૩૧મી ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં પત્રક નંબર-૪ માં દર્શાવેલ સરનામે મળે તે રીતે ભરીને બિનચુક મોકલવાના રહેશે.
1. શિષ્યવૃતી યોજના હેઠળની રકમ મેળવવા માટેનું અસલ અરજી પત્રક નંબર-૧ તથા પત્રક નંબર-૨.
2. ડિગ્રી કે અન્ય “નિયત કરેલ અભ્યાસક્રમો” માટે ધોરણ-૧૨ની વાર્ષિક પરીક્ષાના ગુણપત્રકની પ્રમાણિત કરેલ ઝેરોક્સ નકલ-૧
3. ડિગ્રી કે અન્ય “નિયત કરેલ અભ્યાસક્રમો” માટે છેલ્લે આપેલ વાર્ષિક/સેમેસ્ટર પરીક્ષાની ગુણપત્રકની પ્રમાણિત કરેલ ઝેરોક્સ નકલ-૧
4. ધોરણ-૧૨માં “શાળા છોડ્યાનું પ્રમાણપત્ર” (સ્કુલ લીવિંગ સર્ટિફિકેટ)ની પ્રમાણિત કરેલ ઝેરોક્સ નકલ-૧
5. વિદ્યાર્થી ભાઈ/બહેનના પિતા/વાલીને સને ૨૦૨૩-૨૦૨૪ના વર્ષની વાર્ષિક આવકનું પ્રમાણપત્ર નીચે જણાવ્યા પ્રમાણેના કોઈપણ એક વ્યક્તિ-અધિકારી પાસેથી મેળવી તે પ્રમાણપત્રની પ્રમાણિત કરેલ ઝેરોક્સ નકલ-૧ મોકલવી જરૂરી છે:
– પિતા-વાલી નોકરી કરતા હોય તો તેના માલિક/અધિકારીશ્રીનું,
– મામલતદારશ્રીનું,
– જે તે ગામના સરપંચનું,
– કોર્પોરેટરશ્રીનું,
– ધારાસભ્યશ્રીનું,
– સાંસદશ્રીનું.
6. કોલેજમાં ચાલુ વર્ષે પ્રવેશ મળેલ હોય તો કોલેજ ની ફી ભર્યા ની રસીદ, અરજી પત્રક નંબર-૧ તથા પત્રક નંબર-૨ અને જરૂરી આધારો સાથે નિયત સમય મર્યાદામાં આ મંડળને ઉપરોક્ત જણાવેલ સરનામે મોકલવાનું રહેશે.
(સી) આર્થિક રીતે નબળા અને અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી શૈક્ષણિક પ્રોત્સાહન શિષ્યવૃત્તિ યોજના હેઠળની રકમ મેળવવા માટેના અભ્યાસક્રમો તેમજ અરજી કરવા માટે જરૂરી શૈક્ષણિક લાયકાત ધો.૧૨નાં વાર્ષિક પરિક્ષાના પરિણામની ટકાવારી તેમજ કોણ અરજી કરી શકશે (વિધાર્થી ભાઈ કે બહેન) તેની વિગત | ||||
---|---|---|---|---|
ક્રમ | શિષ્યવૃત્તિ આપવામાં આવે છે તે અભ્યાસ ક્રમોનાં નામ | અરજી કરવા માટે ઓછામાં ઓછા મેળવેલ હોવા જરૂરી પરીક્ષાના પરિણામના ટકા | છેલ્લી વાર્ષિક કે સેમેસ્ટર પરીક્ષામાં ઓછામાં ઓછા મેળવેલ હોવા જરૂરી પરીણામના ટકા | કોણ અરજી કરી શકેે |
1. | એમ.બી.બી.એસ., બી.ડી.એસ., બી.ઈ., બી.ટેક. પેરા મેડીકલ | ધો. ૧૨ સાયન્સની બોર્ડની પરીક્ષાની માર્કશીટ પ્રમાણે PERCENTILE RANK - OVERALL ૭૦ થી વધુ અને ૯૦ કરતાં ઓછો RANK ના આધારે | છેલ્લી વાર્ષિક કે સેમેન્ટર પરીક્ષામાં ૬૫% કે તેથી વધુ ગુણ મેળવેલ. | વિદ્યાર્થી ભાઈ કે બહેન અરજી કરી શકશે. |
2. | સી.એ., સી.એસ. | ધો. ૧૨ વાર્ષિક પરીક્ષાની માર્કશીટ પ્રમાણે PERCENTILE RANK - OVERALL ૭૦ થી વધુ અને ૯૦ કરતાં ઓછો RANK ના આધારે. | છેલ્લી વાર્ષિક કે સેમેસ્ટર પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવેલ. | વિદ્યાર્થી ભાઈ કે બહેન અરજી કરી શકશે. |
3. | બી ફાર્મ, નર્સિંગ | ધો. ૧૨ સાયન્સની બોર્ડની પરીક્ષાની માર્કશીટ પ્રમાણે PERCENTILE RANK - OVERALL ૭૦ થી વધુ અને ૯૦ કરતાં ઓછો RANK ના આધારે | છેલ્લી વાર્ષિક કે સેમેસ્ટર પરીક્ષામાં ૬૦% કે તેથી વધુ ગુણ મેળવેલ. | ફક્ત વિદ્યાર્થીની બહેનો જ અરજી કરી શકશે. |
નોંધ : MYSY યોજના હેઠળ શિષ્યવૃતિ મેળવવા માટેના ધારા ધોરણ મુજબ ૯૦ PERCENTILE RANK મેળવનાર વિદ્યાર્થી MYSY યોજના અંતર્ગત શિષ્યવૃતિ મેળવવા માટે ELEGIBLE વિદ્યાર્થી આર. પી. વસાણી ફાઉન્ડેશન ના શિષ્યવૃતિ ના ફોર્મ ભરી શકશે નહીં
https://scholarship.vasanigroup.co.in
ઉમેદવારોએ ઉપર જણાવેલી લિન્ક પર નીચે જણાવ્યા મુજબ ફોર્મ ભરી શકાશે.
૧. Apply Now પર Click કરવું
૨. સ્કૉલરશિપ માટેના નિયમો તથા જરૂરી સૂચના ઑ વાંચી Next Button પર Click કરવું
૩. Apply For Scholarship પર Click કરવું
૪. ફોર્મ માં દર્શાવ્યા મુજબ ની જરૂરી વિગતો ભરવી, અને Document Upload કરતી વખતે સાચા છે કે નહીં તે verify કરી લેવા.
૫. ફોર્મ Submit કરતા સમયે વિદ્યાર્થી એ Email id અને Phone no પોતાનો નાખી otp verify કર્યા પછી જ submit બટન પર click કરવું, પિતા કે માતા અથવા જો માતા-પિતા હયાત ન હોય તો વાલી નો Phone No આપવો અનિવાર્ય છે.
૬. Submit કર્યા પછી વિદ્યાર્થી એ confirm કરેલ Email id માં Inbox અથવા spam Folder પર check કરવું.
૭. તેમાં RP VASANI FOUNDATION તરફ થી આવેલા મેઇલ પરથી ફોર્મ નંબર અને ફોર્મ મેળવી લેવું.
૮. ત્યારબાદ ફોર્મ પ્રિન્ટ કરી જણાવ્યા પ્રમાણેના પત્રકો લાગુ પડતા જરૂરી આધારોની પ્રમાણીત કરેલ નકલ. ૩૧ ઓગસ્ટ ૨૦૨૫ સુધીમાં પત્રક નંબર-૪ માં દર્શાવેલ સરનામે મળે તે રીતે ભરીને બિનચુક મોકલવાના રહેશે.
૯. ફોર્મનું verification થયા બાદ https://scholarship.vasanigroup.co.in/update પર મેરીટ લિસ્ટ માટે ચેક કરતું રહેવું.
મર્યાદિત સંખ્યામાં શિષ્યવૃતી ઉપલબ્ધ છે, તેથી મેરિટના આધારે શિષ્યવૃતી આપવામાં આવશે.
આર્થિક રીતે નબળાં અને અભ્યાસમાં તેજસ્વી વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ પટેલવાડી બાપુનગર કે અન્ય ટ્રસ્ટના બાળકોના વિધવા સહાય ન મેળવી હોઇ તેમજ કમાનાર પિતા કે માતા-પિતાની છત્રછાયા ગુમાવેલ હોય અને ધો-૧૨ સાયન્સ તથા કોમર્સમાં ૫૦% કે તેથી વધુ ગુણ મેળવેલ હોય તેવા વિદ્યાર્થીઓને મેરિટના આધારે શિષ્યવૃતી આપવામાં આવશે
નિયત કરેલા અભ્યાસક્રમ અને PERCENTILE RANK સિવાયના, અધુરી વિગતોવાળા અથવા મુદત બહાર આવેલ ફોર્મ શિષ્યવૃતી માટે રદ કરવામાં આવશે.